Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પાકિસ્તાનની અવળચંડાઈ ચાલુ :પૂંછના કેરની અને કસ્બા સેક્ટરમાં ગોળીબાર અને મોર્ટારમારો

યુદ્ધવિરામનો ભંગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાયા

નવી દિલ્હી : આતંકવાદી કેમ્પો પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ અકળાયેલી પાકિસ્તાની સેનાએ પોતાના નાપાક હરકત ચાલુ રાખી છે. પાકિસ્તાની સેના દ્વારા સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો.છે 

   પાકિસ્તાન દ્વારા પૂંછના કેરની અને કસ્બા સેક્ટરમાં ગોળીબાર અને મોર્ટારમારો કરવામાં આવ્યો. જેમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાયા હતા

  . આ પહેલા રવિવારે પણ પાકિસ્તાની સેનાએ રહેણાંક વિસ્તારોમાં મોર્ટારમારો કર્યો હતો. જેના કારણે સ્થાનિકોના મકાનો અને ઘરવખરીને ભારે નુકસાન થયું હતુ. પાકિસ્તાનના આ નાપાક હરકત બાદ ભારતીય સેનાએ આતંકવાદી કેમ્પો અને પાકિસ્તાની ચોકીઓ પર આર્ટિલરી સ્ટ્રાઇક કરી હતી. જેમાં 6થી 10 પાકિસ્તાની સૈનિકો ઠાર થયા.જ્યારે કે 20થી વધુ આતંકવાદીઓનો ખાત્મો થયો હતો.

(7:17 pm IST)