Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મને હવે ડર લાગે છેઃ સાધ્વી પ્રાચી

કમલેશ તિવારી હત્યા બાદ સાધ્વીને પોતાની હત્યાની બીક

મુઝફફરનગરઃ લખનૌમાં કમલેશ તિવારી હત્યાકાંડ બાદ સાધ્વી પ્રાચીને પણ પોતાની હત્યાનો ડર સતાવી રહયો છે. તેમણે જણાવેલ કે મને પણ ૧૦-૧૨ વર્ષથી ધમકીઓ મળી રહી છે. પણ મે તેને ગંભીરતાથી નથી લીધી,  પણ જયારથી કમલેશ તિવારીની હત્યા થઇ છે. ત્યાર થી હુ ગંભીર  છું હું સરકાર પાસે સુરક્ષા આપવાની માંગણી કરીશ. આઇએસઆઇએ ધમકી આપેલ. હું પહેલા કયારેય ડરી નથી પણ હવે ડર લાગે છે.

ઉપરાંત તેમણે જણાવેલ કે કમલેશ તિવારીની સુરક્ષા હટાવનાર અધિકારીઓ ઉપર સખ્ત પગલા લેવા જોઇએ. જેહાદી વિચાર ધારા ઉપર પ્રતિબંધ લગાવવો જોઇએ અને માથા કલમ કરવાના ફતવાઓ ઉપર પણ કાર્યવાહી થવી જોઇએ.

(4:02 pm IST)