Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસો ૪૮ કલાકથી ચાલુઃ રામ માધવનો ધડાકો

નવી દિલ્હી, તા. ર૧ :  ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામમાધવે પાકિસ્તાન પર કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાના પ્રયત્નનો આક્ષેપ કર્યો છે. યુ.એસ. ઇન્ડીયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમમાં રામ માધવે કહ્યું કે છેલ્લા ૪૮ કલાકથી પાકિસ્તાન આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા સતત તોપમારો થઇ રહ્યો છે. અમારૃં સૈન્ય તેનો જવાબ પણ આપી રહ્યું છે. અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકવાદખી લોંચ પેડો નષ્ટ કરી નાખ્યા છે.

(1:06 pm IST)