Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા પ્રકરણમાં તેમના શિષ્ય આનંદગીરીની અટકાયત: યોગી આદિત્યનાથે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી : ૧૨ પાનાની સુસાઇડ નોટમાં અનેક વિસ્ફોટક વિગતો હોવાની ભારે ચર્ચા

યોગી સરકાર હરકતમાં : ટોચના અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવતા યોગી આદિત્યનાથ : મોટા કડાકા ભડાકાની સંભાવના

પ્રયાગરાજ : મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા પ્રકરણમાં પૂછપરછ માટે તેમના શિષ્ય આનંદગીરીની અટકાયત કરતી ઉત્તર પ્રદેશ પોલીસ. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ સમગ્ર પ્રકરણની તપાસ સી.બી.આઈ પાસે કરાવવાની ભલામણ કરી છે.

મહંત નરેન્દ્રગીરીજીએ લખેલી ૧૨ પાનાની સુસાઈડ નોટ કબજે કરતી ઉત્તર પ્રદેશ પોલીસ, સુસાઈડ નોટમાં ઘણી વિસ્ફોટજનક વિગતો હોવાની વાત જાણવા મળી રહી છે.

મહંત નરેન્દ્રગીરીના આત્મહત્યા પ્રકરણ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર હરકતમાં આવી ગયેલા છે. રાજ્યના પોલીસ વડા, મુખ્ય સચિવ અને સરકારના ટોચના મંત્રીઓ ને અધીકારીઓની ઇમરજન્સી બેઠક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બોલાવતા કઈક મોટા વિસ્ફોટોની સંભાવના સેવાય રહી છે.

(12:00 am IST)