Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

દેશભરમાં ૧૦ લાખ યોનો કેશ પોઇન્ટ બનાવશે એસ.બી.આઇ.: એટીએમ વગર પૈસા કાઢી શકાશે

     બેન્કીંગ ક્ષેત્રમાં ડીજીટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સ્ટેટ બેન્ક(એસબીઆઇ) આગલા ૧૮ મહીનામાં દેશભરમાં ૧૦ લાખ યોનો કેશ પોઇન્ટ સ્થાપીત કરશે.

     એસબીઆઇના ચેરમેન રજનીશકુમારએ જણાવેલ કે આ એક સુરક્ષિત પ્લેટફોર્મ છે જે મારફત ગ્રાહક ડેબીટ કાર્ડ વગર એટીએમમાંથી પૈસા કાઢી શકશે અને અન્ય ચુકવણુ પણ કરી શકશે.

(12:00 am IST)