Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કેરળ પુર : ૧૦ લાખ લોકો હજુ રાહત કેમ્પમાં : રાહત કાર્ય જારી વધારાની સહાય કરવા કેરળના મુખ્યપ્રધાન દ્વારા કેન્દ્ર સમક્ષ રજૂઆત

કોચી, તા.૨૧ : કેરળમાં વિનાશકારી પુર બાદ સ્થિતીમાં હવે સુધારો થઇ રહ્યો છે. કારણકે પુરના પાણી મોટા ભાગના વિસ્તારોમાં ઉતરી રહ્યા છે.વરસાદમાં પણ બ્રેકની સ્થિતી મુકાયા બાદ બચાવ અને રાહત કામગીરી વધુને વધુ ઝડપી કરવામાં આવી રહી છે. સ્થિતીમાં સુધારો થયો હોવા છતાં હજુ પણ ૫૬૪૫ રાહત કેમ્પોમાં ૧૦ લાખ લોકો છે. તેમને જરૂરી સુવિધા અને સહાય આપવાની બાબત સરકાર માટે પડકારરૂપ છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે. કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

કેરળમાં આઠમી ઓગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનો આંકડો ૨૨૦ ઉપર પહોંચી ગયો છે. માત્ર ૧૩ દિવસના ગાળામાં જ ૨૧૮ લોકોના મોત સાબિત કરે છે કે  વિનાશક પુરની સ્થિતી શુ છે. હજુ મોટી સંખ્યામાં લોકો લાપત્તા પણ થયેલા છે. ૫૬૪૫ રાહત કેમ્પમાં ૧૦ લાખ લોકોને રાખવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો માટે તમામ વ્યવસ્થા કરવાની બાબત પણ મુશ્કેલીરૂપ છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. ૧૦ હજાર કિલોમીટરના રસ્તા તુટી ગયા છે. સ્થિતીમાં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે.   અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૩૮૭ સુધી પહોંચી ગયો છે.

ઇર્નાકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સૌથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સૌથી વધુ કફોડી હાલત થઇ છે.  ૯મી ઓગસ્ટ બાદથી મોતનો આંકડો ૨૨૦  સુધી પહોંચી ગયો છે. પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે.

મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. અહીં પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે.   દસ  હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી ૧૪ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. ૧૯૨૪બાદથી હજ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે.

નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. .કેરળમાં હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. ૮૦ બંધને ખોલી દેવામાં આવ્યા છે. કોચીમાં નેવલ એરપોર્ટ  ખાતેથી ફ્લાઇટ ઓપરેશનની શરૂઆત કરી દેવામાં આવી છે. બેંગલોરથી પ્રથમ એર ઇન્ડિયાની ફ્લાઇટ પહોંચ્યા બાદ તંત્રને પણ રાહત થઇ છે. સિવિલિયન ફ્લાઇટ હવે ઉતરાણ કરી રહી છે. યાત્રી આવવા લાગી ગયા છે.

(3:28 pm IST)