Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી :ખબર અંતર પૂછવા તેજસ્વી મુંબઈ પહોંચ્યા

નવી દિલ્હી :આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને સારવાર માટે મુંબઈની એશિયન હાર્ટ ઈન્સટિટ્યૂટમાં ખસેડવામાં આવ્યા છે. પિતાની ખરાબ તબીયતના કારણે તેજસ્વી યાદવ ચિંતિત છે.

   તેજસ્વી યાદવે ટ્વિટ કરીને જણાવ્યુ કે, પિતાની ખરાબ તબીયતના કારણે અમારી ચિંતામાં વધારો થયો છે. લાલુ એક સપ્તાહથી મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે. લાલુના ખબર અંતર પૂછવા તેજસ્વી મુંબઈ ગયા હતા

  આ પહેલા લાલુને પટના અને દિલ્હીમાં આવેલી એઈમ્સમાં સારવાર આપવામાં આવી હતી. અને હવે તેમને સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા છે. ગત્ત દિવસે લાલુની જામીન કોર્ટે 17 ઓગસ્ટથી વઘારી 20 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે. લાલુ યાદવે હાઈકોર્ટમાં જામીનને વધુ ત્રણ મહિના સુધી કરવાની અરજી કરી છે.

(11:42 am IST)