Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દેશમાં મોબ લીચિંગની ઘટનાથી રાષ્ટ્રહિતને નુકશાન :મનમોહનસિંહે કર્યા સરકાર પર પ્રહાર

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં અસહિષ્ણુતા અને મોબ લિન્ચિગની ઘટનામાં વધારો થયો છે. આ પ્રકારની ઘટનાને રોકવા માટે તમામ લોકોએ એક થવુ પડશે. મનમોહનસિંહે વધુમાં કહ્યુ કે, મોબ લિન્ચિગની ઘટનાના કારણે રાષ્ટ્રહિતને નુકસાન થઈ રહ્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મનમોહનસિંહે મોબ લિંન્ચિગ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજસ્થાનના અલવર અને ઉત્તર પ્રદેશમાં બનેલી મોબ લિંન્ચિગની ઘટન બાદ કેન્દ્ર સરકાર વિરોધીઓના નિશાને આવી હતી.

(11:42 am IST)