Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કર્ણાટકમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી :વરસાદ- ભૂસ્ખલનથી છ લોકોના મોત

કોડાગૂ જિલ્લામાં અત્યાર સુધી 3,500થી વધારે લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા

 

બેંગ્લુરુ :કર્ણાટકમાં ભારે વરસાદથી પરિસ્થિતિ સતત વણસી રહી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી થઈ રહેલા ભારે વરસાદ હાલ પણ ચાલુ છે. કર્ણાટકના કોડાગૂ જિલ્લામાં અત્યાર સુધી 3,500થી વધારે લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. કોડાગૂમાં પાછલા કેટલાક દિવસથી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 6 લોકોના મોત થઈ ગયા છે.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ફોન પર રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વાતચીત કરી અને ત્યાંની પરિસ્થિતિ વિશે પૂછતાછ કરી હતી

(12:00 am IST)