Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મોદીને જાનથી મારી નાખવાની ધમકી

મંદિરની દાનપેટીમાંથી ૫૦૦ની નોટ મળી આવી હતી. જેમાં મોદીને મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ કરાયો હતો

કોચી, તા.૨૧: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કેરળમાં આવેલા ત્રિશુરના ગુરૂવાયુર મંદિરની દાનપેટીમાંથી ૫૦૦ની નોટ મળી આવી હતી. જેમાં મોદીને મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ કરાયો હતો. આ નોટ મળ્યા બાદ મંદિરના વહીવટરદારોએ તુરંત પોલીસને જાણ કરતાં પોલીસે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મોદી માલદીવ ગયા તે પહેલાં આ મંદિરના દર્શને ગયા હતા. જે ૫૦૦ની નોટ ઉપર ધમકી લખવામાં આવી છે તે મલયાલમ ભાષામાં લખવામાં આવી છે. પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. શું આ કોઇ ટીખળખોરીનું કારસ્તાન છે કે બીજું કંઇ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:12 pm IST)