Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સાંસદો સાથે હળવી પળોમાં નરેન્દ્રભાઈ

પીએમ મોદીએ ગતરાતે લોકસભા અને રાજયસભાના સાંસદ સભ્યો માટે દિલ્હીની અશોક હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યુંહતુ. બંન્ને સદનનાં લગભગ ૭૫૦ સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ  મોકલ્યું હતું.  હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજયસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના  ઘટક દળનાં નેતાઓ જોડાયા હતા. દ્રમુકની કનિમોઇ, આપનાં રાજયસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સાંસદો ઉપરાંત અભિનેતામાંથી નેતા બનેલ સન્ની દેઓલ પણ હાજર રહ્યા હતા. ડીનર પ્રસંગે નરેન્દ્રભાઈએ સર્વે સાંસદોને સંબોધન પણ કર્યું હતું.

(11:38 am IST)