Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

આવકથી વધુ સંપત્તિ રાખવાના મામલામાં મુલાયમસિંહ અખિલેશ અને પ્રતીક યાદવને સીબીઆઈની ક્લીનચીટ

સીબીઆઈએ સ્પષ્ટ કર્યું કે રેગ્યુલર કેસ દાખલ કરવા માટે તેમને કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી

નવી દિલ્હી :આવકના સ્ત્રોતથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં સીબીઆઈએ મુલાયમસિંહ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે. આ સોંગદનામામાં સીબીઆઈએ તેમને ક્લિનચીટ આપી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, પિતા-પુત્રો વિરુદ્ધ રેગ્યુલર કેસ (આરસી) દાખલ કરવા માટે આ મામલે તેમને કોઈ જ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 25 માર્ચના રોજ સર્વોચ્ચ અદાલતે આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવાના મામલે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવ અને તેના પુત્રો અખિલેશ યાદવ અને પ્રતીક યાદવ વિરુદ્ધ થયેલી અરજી ઉપર સીબીઆઈને નોટિસ જારી કરી હતી. તે સમયે સુપ્રીમના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ અને ન્યાયધીશ દિપક ગુપ્તાની ખંડપીઠે સીબીઆઈને આ કેસમાં તપાસની શું સ્થિતિ છે તે જણાવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો

(12:51 pm IST)