Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ચંદ્રાબાબુ નાયડુ વીવીપીએટ મામલે આક્રમક : દિલ્હીમાં કરશે પ્રદર્શન :50 ટકા પર્ચીઓની ગણતરીનો ભાજપનો વિરોધ કેમ ?

અમે અપરાધીઓ સાથે ચૂંટણી લડી છે, જેથી ઓછામાં ઓછી 50 ટકા વીવીપેટની ગણતરી થવી જોઈએ

નવી દિલ્હી :આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ હાલમાં એનડીએ સિવાયના દળોને એકજુટ કરવાના પ્રયાસમાં છે ત્યારે વીવીપીએટ મામલે પણ આક્રમકઃ વલણ અપનાવશે નાયડૂ મંગળવારે દિલ્હીમાં વીવીપેટને લઈને પ્રદર્શન કરશે

  વીવીપેટને લઈને નાયડૂ આ પહેલા પણ અવાજ ઉઠાવી ચુક્યા છે તેમણે કહ્યું હતું કે અમે અપરાધીઓ સાથે ચૂંટણી લડી છે, જેથી ઓછામાં ઓછી 50 ટકા વીવીપેટની ગણતરી ઉપર જોર આપી રહ્યા છે.
  ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું હતું કે પર્ચીઓની ગણતરીને લઈને પાર્ટીઓનો વિરોધ હોવો જોઇએ નહીં. પારદર્શી ચૂંટણી માટે લડવાને લઈને હાલમાં જ ટીડીપીની પ્રશંસા થઈ હતી. બીજેપી આ બીજેપી આ વાતનો વિરોધ કેમ કરી રહી છે?

(8:16 pm IST)