Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આંબેડકરજીના સ્થાને દિનદયાળજીનું બાવલું

આગ્રા કોર્પોરેશન ઉત્તરપ્રદેશનો આદેશ : બે બાવલા છે તેમાંથી એક દિનદયાળજીનું મૂકાશે

આગ્રા : ઉત્તરપ્રદેશના સાંસ્કૃતિક વિભાગના ડેપ્યુટી ડાયરેકટરશ્રી અજયકુમાર અગ્રવાલે આગ્રામહાનગર કોર્પોરેશનની જગ્યાએ મુકાયેલા આંબેડકરના બે પુતળામાંથી એક જગ્યાએ દિનદયાલ ઉપાધ્યાયનું પુતળુ મુકવા જીલ્લા મેજીસ્ટ્રેટ અને એસ.એસ.પી. આગ્રાને લખ્યું.

પત્રમાં જણાવ્યા પ્રમાણે કોર્પોરેશનની જગ્યામાં મુકાએલ આંબેડકરના બે ફુલ સાઇઝના પુતળામાંથી જે જુનું હોય તેની  જગ્યાએ દિનદયાળ ઉપાધ્યાયનું પુતળુ મુકવું.

અગ્રવાલના પત્ર પ્રમાણે આ માટેની ભલામણ લોકલ ભાજપા ધારાસભ્ય જગન પ્રસાદ ગર્ગ દ્વારા સરકારને મોકલવામાં આવેલ.

પત્રમાં બંને અધિકારીએ મૂર્તિ સ્થાપના વખતે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.

સ્થાનિક દલિત સમાજેેએ કહ્યું છે કે અમે આનો વિરોધ કરીશું.

(4:06 pm IST)