Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જાણીતા કાર્ટૂનિસ્ટ જયંતગીરીનું દુઃખદ નિધન

ગીરી 'ના નામે ઓળખાતા કાર્ટૂનિસ્ટના નિધનથી કાગળ પર વ્યંગ આલેખતી પીંછી અને તેના શેરડા જાણે કે થંભી ગયા

  • મુંબઈ :ગુજરાતી અખબારોના જાણીતા કાર્ટુનિસ્ટ (વ્યંગચિત્રકાર) જયંતગીરીનું દુઃખદ નિધન થયું છે જયંતગીરી કે જેમના અખબારી કાર્ટુન ગીરીના નામે ઓળખાય છે તેમનું દુઃખદ નિધન થયું છે.
  •     તેમણે મુંબઇના વર્ષો જુના પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મુંબઇ સમાચારમાં વર્ષો સુધી કાર્ટુનિસ્ટ તરીકે કામ કર્યું હતું. વિવિધ રાજકીય, સામાજિક અને અન્ય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઘટનાઓના સંદર્ભમાં બનાવાયેલા તેમના કાર્ટુનમાં વ્યંગની ધાર કાબિલે તારીફ ગણાતી હતી
  •   . વિવિધ ગુજરાતી અખબારી ક્ષેત્રે તેમનું યોગદાન અને તેમના કાર્ટુનો સદાય તેમનો પરિચય આપતાં રહેશે.તેમના નિધનથી કાગળ પર વ્યંગ આલેખતી પીંછી અને તેના શેરડા જાણે કે થંભી ગયા છે.
(12:00 am IST)