Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિને ઉપવાસ છોડી દેવા કેજરીવાલની અપીલનો અસ્વિકારઃ કહ્યુ કે માંગ સ્વિકારે પછી જ વાત

નવી દિલ્હીઃ મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલા ગુન્હાઓ વિરૂદ્ધ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ ૮-૮ દિવસથી ઉપવાસ ઉપર છે. આજે ૯મો દિવસ છે. મુખ્યમંત્રી કેજરીવાલ ગઈકાલે સમતા સ્થળે તેમને મળવા ગયા ત્યારે સ્વાતિનું સ્વાસ્થ્ય બગડતુ જોઈ ઉપવાસ છોડી દેવા અપીલ કરેલ... પરંતુ સ્વાતિએ સાફ કહ્યું કે તેની માંગો નહિ સ્વિકારાય ત્યાં સુધી ઉપવાસ નહિ છોડે. આ અગાઉ સ્વાતિએ કહેલ કે મોદી જીદ્દી છે તો હું તેનાથી પણ વધુ જીદ્દી છું. તે માત્ર પાણી અને લીંબુ જ્યુસ ઉપર છે. ગાયક હરભજન માન, અભિનેત્રી રાજશ્રી પોનપ્પા, વરિષ્ઠ પત્રકાર નલીની સિંહ સહિત આમ જનતાથી માંડી નેતાઓ સુધીના લોકોની  સતત  અવરજવર ચાલુ છે.(૨-૧૩)

(2:51 pm IST)