Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

૨૯મીએ મોદી કેદારનાથના દર્શને

કપાટ ખુલતા જ પ્રથમ દર્શન વડાપ્રધાન કરશે

દહેરાદુના, તા. ર૧ : યાત્રાધામ કેદારનાથના દર્શને વડાપ્રધાન પહોંચશે. તા. ર૯ના દિને કેદારનાથના કપાટ ખુલતાની સાથે જ પ્રથમ દર્શન વડાપ્રધાન મોદીજી કરશે તેમ સૂત્રો જણાવે છે.

વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી યોગીજી તથા અન્ય રાજયોના મુખ્યમંત્રીઓ દર્શને આવે તેવું આયોજન ઘડાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથધામનું પુનઃનિર્માણ ઝડપભેર ચાલી રહ્યું છે. આ કાર્ય વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ થાય છે.

(12:43 pm IST)