Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના વાયરસઃ જમ્‍મુમા લોક ડાઉન સીઆરપીએફ ટ્રાંજિટ કેમ્‍પ ૧પ દિવસ માટે બંધ

કોરોના વાયરસને કારણે જમ્‍મુમા લોક ડાઉન શરૂ કરવામાં આવ્‍યું. આ દરમ્‍યાન પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટ, મંદિર, અને શોપીંગ મોલ બંધ રહેશે. ફકત કરીયાણા અને ફળોની દુકાનો ખુલ્લી રહેશે.

સીઆરપીએફએ જમ્‍મુ-કાશ્‍મીરમા પોતાના ટ્રાંજિટ કેમ્‍પને ૧પ દિવસ માટે બંધ કર્યો જે જવાન રજા પર ગયા છે જેમની રજા ખત્‍મ થઇ રહી છે એમની રજા ૧પ દિવસ વધારી દેવામાં આવી છે. એમણે કહેવામાં આવ્‍યું છે કે ૧પ દિવસ પોતાના ઘરે રહે. સીઆરપીએફએ પોતાની મુવમેન્‍ટ પણ બંધ કરી દીધી છે. ફકત ઇમરજન્‍સી મુવમેન્‍ટ થશે. સીઆરપીએફના જવાનોની રજા હાલ કેન્‍સલ કરવામાં આવી છે. ફકત જેને ઇમરજન્‍સી છે તેને રજા મળશે.

(12:00 am IST)