Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

નિરવ મોદીની ધરપકડ મુદ્દે વિપક્ષે સરકાર પર લગાવ્યો માત્ર મત મેળવવા ફાયદાનો આરોપ

સરકારે નિરવ મોદી જેવા અનેક કૌભાંડીઓને સામે ચાલીને દેશ છોડીને જવામાં મદદ કરી:હવે પાછો લાવાના નાટક !

નવી દિલ્હી :નિરવ મોદીની ધરપકડ મુદ્દે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો હોવાથી માત્ર મત મેળવવા જ ટૂંકા ગાળા માટે નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી.     

       કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે નિરવ મોદી જેવા કૌભાંડીઓને ચૂંટણી નજીક આવે ત્યારે ઝડપી લેવામાં આવે છે બાદમાં તેને ચૂંટણી પુરી થાય ત્યારે છોડી મુકવામાં આવે છે.

    ગુલામ નબી આઝાદે સાથે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ જ સરકારે નિરવ મોદી જેવા અનેક કૌભાંડીઓને સામે ચાલીને દેશ છોડીને જવામાં મદદ કરી હતી અને હવે તેને પરત લાવવાના નાટક કરી રહ્યા છે.

(1:09 pm IST)