Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કર્ણાટકઃ વિધાનસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધી ફરી 'મંદિરના શરણે'

બેંગલુરુઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પણ ગુજરાત જેવી રણનીતિ અમલમાં મુકવાનો નિર્ણય કરી લીધો છે. રાહુલ ગાંધી સતત કર્ણાટકના દેવસ્થાનોની મુલાકાત લઈ રહયાં છે. આપને જણાવી દઈએ કે, હાલમાં રાહુલ ગાંધી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. જયાં તેમણે ઉડુપિ સ્થિત નારાયણ ગુરુ મંદિરે જઈને પૂજા- અર્ચના કરી હતી. આપને જણાવી દઈએ કે, દક્ષિણ ભારતમાં કર્ણાટક એકમાત્ર રાજય છે જયાં કોંગ્રેસની સરકાર છે. હાલમાં જ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ લિંગાયત અને વીરશૈવ લિંગાયત સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયનો દરજજો આપવા કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય જનતા પાર્ટી રાજયની કોંગ્રેસ સરકારના આ નિર્ણયની પહેલાં જ નિંદા કરી ચુકી છે. જાણકારોનું મનીએ તો, કર્ણાટક સરકારના આ નિર્ણયનો રાજકીય પ્રભાવ જોવા મળી શકે છે. રાજકીય સમીકરણો મુજબ સિદ્ધારમૈયાનો આ નિર્ણય બન્ને સમુદાયને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાનો 'માસ્ટર સ્ટ્રોક' માનવામાં આવે છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં આ નિર્ણય રાજકીય આત્મહત્યા પણ પુરવાર થઈ શકે છે.(૩૦.૪)

(11:57 am IST)