Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

તેજપ્રતાપ યાદવનું વિવાદીત નિવેદનઃ કહ્યુ જેવી રીતે કંસનો વધ થયો તેવી જ રીતે નીતિશકુમારનો ર૦ર૦ ની ચૂંટણીમાં વધ કરવામાં આવશેં

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના મોટા લાલ તેજપ્રતાપ યાદવ એક વખત ફરીથી પોતાના વિવાદાસ્‍પદ નિવેદનોને લઇ ચર્ચામાં છે એમણે બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમારને કંસ બતાવી દીધા છે. આ સાથેજ તેજ પ્રતાપએ કહ્યું છે કે જે રીતે કંસનો વધ થયો હતો તેવી જ રીતે નીતીશકુમારનો ર૦ર૦ ની વિધાનસભા ચૂંટણીમાં વધ કરવામા આવશે તેજપ્રતાપના આ ભાષણથી બિહારમાં રાજનૈતિક નિવેદનબાજી તેજ થઇ ગઇ છે.

બિહારના વૈશાલીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેજપ્રતાપ યાદવએ નારો લગાવ્‍યો કે ર૦ર૦ મા કોનો વધ થશે ? તો ભીડએ જવાબ આપ્‍યો નિતીશકુમારનો. અહી જણાવીએ કે બિહારમાં આ વર્ષના અંતમાં ચુંટણી થવા જઇ રહી છે. ચૂંટણી વર્ષમા સતા પક્ષ અને વિપક્ષ વચ્‍ચે નિવેદનબાજી સતત ચાલુ છે. તેજપ્રતાપ યાદવ વૈશાલી જિલ્લામાં મહાશિવરાત્રીના અવસર પર આયોજીત કાર્યક્રમમાં હતા આ અવસર પર તેજપ્રતાપ યાદવએ મંચ પરથી બાંસુરી પણ વગાડી. મહાશિવરાત્રીના અવસર પર તેજપ્રતાપ યાદવ અને પોતાના પટનામા આવેલ આવાસ પર ભગવાન શિવની પૂજા આરાધની કરી એમણે શિવનો વિધિવત રૂદ્રાભિષેક કર્યો હતો.

(9:21 pm IST)