Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સપા નેતા આઝમ ખાનની યુનિર્વસીટીમાં ડીમોલેશનઃ દીવાલ પાડી રસ્તો ખુલ્લો કરાયો

જાન્યુઆરીમાં પણ તંત્ર દ્વારા પરિસરની અંદરની ૧૦૪ વીઘા જમીન જપ્ત કરાયેલ

લખનૌઃ સમાજવાદી પાર્ટી (સપા) નેતા આઝમ ખાનની યુનિર્વસીટી ઉપર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રામપુરમાં આઝમ ખાનના ડ્રીમ પ્રોજેકટ ઉપર તંત્ર દ્વારા જેસીબી ચલાવાયુ હતુ. રસ્તો પહોળો કરવા મોહમ્મદ અલી જૌહર યુનિર્વસીટીની દીવાલ તોડીને રસ્તો પહોળો કરી દેવાયો હતો. દબાણથી રસ્તો ખુબ જ નાનો થઈ ગયો હતો.

સમગ્ર કાર્યવાહી દરમિયાન નાયબ કલેકલટર સહિતના ઉચ્ચ જીલ્લા અધિકારીઓ હાજર રહેલ. ડીમોલેશન પહેલા આઝમ ખાનને તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવેલ. ગયા મહિને પણ યુનિર્વસીટી પરિસરની અંદર ૧૦૪ વિઘા જમીન જપ્ત કરાઈ હતી. આ કાર્યવાહી પ્રયાગરાજ સ્થિત રેવન્યુ બોર્ડ કોર્ટના નિર્દેશથી કરવામાં આવેલ.

(3:34 pm IST)