Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કમલનાથનું છટકયુઃ મોદી ઉપર તૂટી પડ્યા

શેની સર્જીકલ સ્ટ્રાઈક? કયાં છે પુરાવા? ઈન્દીરાજીના શાસનમાં ૯૦ હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારેલ તે અંગે ચૂપ કેમ છો?

મહારાષ્ટ્રના સીએમ કમલનાથે પીએમ મોદીને સર્જીકલ સ્ટ્રાઈક અંગે સવાલ કર્યો : ભાજપના એક સ્વતંત્રતા સેનાનીનું નામ આપવા પડકાર ફેંકયો : છેલ્લા ૬ મહિનાથી મોદી યુવાઓ અને ખેડૂતો વિશે કંઈ જ બોલતા નથી, ૨૦૧૪માં વર્ષે બે કરોડ યુવાઓને નોકરીનું વચન આપ્યુ હતું, પણ તમે એક લાખન નામ જણાવી દો, સર્જીકલ સ્ટ્રાઈક વિશે બોલશે પણ યુવાઓ અને ખેડૂતો ખુદ મૌન બની જાય છે : મધ્યપ્રદેશના કોંગી મુખ્યમંત્રી કાળઝાળ : ઈન્દીરા ગાંધીના શાસનમાં ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના ૯૦,૦૦૦ સૈનિકોએ આત્મસમર્પણ કર્યુ હતુ તેની વાત મોદી કયારેય કરતા નથી : કમલનાથ

(12:40 pm IST)