Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પવારના નિવેદન પર વધેલી રાજકીય ગરમી વચ્ચે ઉદ્ઘવ ઠાકરે આજે પીએમ મોદીને મળશે

મુંબઈ, તા.૨૧: રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારના અયોધ્યામાં રામ મંદિરની જેમ મસ્જિદ નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવાની વકાલત કર્યા બાદ શરૂ થયેલી રાજકીય ગરમીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેના એક નિર્ણયે હવા આપવાનું કામ કર્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરે આજે એટલે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરવાના છે. પાછલા વર્ષે નવેમ્બરમાં મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમવાર હશે જયારે ઉદ્ઘવ ઠાકરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની મહત્વપૂર્ણ યાત્રા પર હશે.

શિવસેનાના નેતા સંજય રાઉતે આ મુલાકાતનું કોઈ ખાસ કારણ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હશે. પરંતુ તે જણાવવામાં આવ્યું નથી કે દિલ્હીના પ્રવાસ દરમિયાન ઉદ્ઘવ શું કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. મહત્વનું છે કે પાછલા વર્ષે નવેમ્બરમાં ઉદ્ઘવ ઠાકરેએ વિપરીત વિચારધારા વાળી કોંગ્રેસ અને એનસીપીના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત રાજયની ગઠબંધન સરકારમાં નેતાઓના અલગ-અલગ સ્વર સામે આવતા રહ્યાં છે. તેનાથી અટકળોએ જોર પડકયું છે કે મહાઅદ્યાડીની સરકારમાં બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી.

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર વચ્ચે નવો ટકરાવ સીએએ-એનઆરસી અને એનપીઆરને પણ લઈને છે. એક તરફ એનસીપી અને કોંગ્રેસ સીએએ, એનઆરસી અને એનપીઆરનો ખુલીને વિરોધ કરી રહ્યાં છે જયારે બીજીતરફ ઉદ્ઘવ સરકારે મહારાષ્ટ્રમાં એનપીઆર હેઠળ વસ્તીગણતરી માટે અધિસૂચના જારી કરી દીધી છે. એટલું જ નહીં ઉદ્ઘવ ઠાકરેએ સીએએ, એનઆરસી અને એનપીઆરમાં અંતર સમજાવીને ટકરાવમાં વધુ વધારો કર્યો છે. તો એનસીપીના સુપ્રીમો શરદ પવારે ઠાકરેના નિવેદનને તેમનું વ્યકિતગત નિવેદન ગણાવતા કહ્યું કે, તેમની પાર્ટી સીએએ, એનઆરસી અને એનપીઆરની વિરુદ્ઘ છે.

ઉદ્ઘવે કહ્યું કે, જો સીએએ લાગૂ કરવામાં આવે તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આદ્યાડી સરકાર વચ્ચે તકરાર એલ્ગાર પરિષદ અને ભીમા કોરેવાંગની હિંસાની તપાસને લઈને પણ સામે આવી છે. એક તરફ ઉદ્ઘવે એલ્ગાર પરિષદની તપાસ એનઆઈએને સોંપવા માટે હા કહી અને દેશદ્રોહ અને સામાન્ય હિંસા વચ્ચે ફરક છે બીજીતરફ શરદ પવારે કહ્યું કે, મામલાની તપાસ એસઆઈટી પાસે કરાવવામાં આવે. પવારે એલ્ગાર પરિષદની તપાસ એનઆઈએ પાસે કરાવવાના કેન્દ્રના નિર્ણયના સમર્થનની આકરી ટીકા કરી છે.

(10:18 am IST)