Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

અખિલેશ યાદવના ગૃહમંત્રી અમિત શાહ ઉપર વળતા તીવ્ર પ્રહારો

ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ પ્રતિક્રિયા

લખનૌ, તા. ૨૧ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પ્રદેશમાં એક બાબા ઓછા હતા તો બીજા બાબા પોતાનું પ્રવચન આપવા પહોંચી ગયા છે. અમિત શાહ નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં આયોજિત જનસભામાં ભાગ લેવા મંગળવારના દિવસે લખનૌ પહોંચ્યા હતા. અમિત શાહના ભાષણ બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું હતું કે, પ્રદેશમાં એક બાબા ઓછા હતા તો બીજા બાબા પોતાનું પ્રવચન આપવા આવી પહોંચ્યા.આ ઢોંગી બાબોએ જે પ્રકારે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે તે કારણથી સીએએ પર સમર્થન માટે જનતા તેમની જોલીમાં કશુ જ નહીં નાખે. જનતા જુઠ્ઠા બાબાથી એવું જ કહેશે કે બાબા આ વખતે જાઓ તો ફરી પાછા ક્યારે ન આવતા.

(8:00 pm IST)