Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વર્તનમાં નહિં, વિચારોમાં 'સિંહ' બનોઃ માનવંતા મહેમાનોનો લાગણીભીનો સમૂહઃ સફળતાની હૂંફાળી શુભેચ્છાઓનો સમન્વય

રાજકોટ : 'જયકારા'ના મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ 'સિંહ'ના ચિત્રવાળુ ટીશર્ટ પહેરીને સમગ્ર 'શો'નું સંચાલન કર્યુ તે વખતે દર્શકોને આ ટીશર્ટ પહેરવા પાછળનું કારણ સમજાવવા જણાવેલ '' લોકોએ વર્તનમાં નહિ. પરંતુ વિચારોમાં 'સિંહ'  જેવુ થવુ જોઇએ નો નજારો જય જય કાર થાય થાય. જે ઉપરની તાક્ષણિક તસ્વીરો નજરે પડે છે. વચ્ચેની તસ્વીરો આ સમગ્ર કાર્યક્રમની ટોચની ઓળખવિધિ કરાવી રહેલા જય વસાવડા  દર્શાય છે. તથા ટીમ જય કારાના કલાકારો દર્શાય છે. તેમજ આ કાર્યક્રમના આમંત્રણને માન આપીને પધારેલા માનવંતા મહેમાનોનો લાગણીભીના સમૂહમાં બિલ્ડર અગ્રણી મુકેશભાઈ શેઠ, કવિ મિલિન્દ ગઢવી, વકતા સુશ્રી નેહલબેન ગઢવી, હિરેન સુબા, ડો.વૈભવ સવજીયાણી, જામનગરથી ખાસ પધારેલા ડો. મનોજ જોશી, અદાકાર જય વિઠ્ઠલાણી, એડવોકેટ શ્રી સોઢા, રાજકોટના ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર, ડો. ચિરાગ માત્રાવડિયા, કમલભાઇ સોજીત્રા (ફાલકન પંપ), ડો. જયપ્રકાશ ભટ્ટ, ડો. દેવાંગી વૈષ્ણવ, આર્કિટેકટ પ્રતિક ડઢાણીયા, ફાર્મા મેનેજર હેમાંગ વચ્છરાજાની, મિતુલ ધોળકીયા (ધોળકીયા સ્કૂલ), જીજ્ઞેશ કામદાર (સ્નેક બાઇટ), રક્ષિત વસાવડા (નાટ્ય દિગ્દર્શક), દિપક કોઠારી (રોટરી કલબ), દિપાલી પટેલ (ભાગવત કથાકાર) અને એસ્સારના કનૈયાભાઇ મોટલા  વગેરે મહાનુભાવો દર્શાય છે. સમગ્ર કાર્યક્રમને મળેલ જબ્બર સફળતાને અકિલા દૈનિકના મોભીઓ શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા શ્રી અજીતભાઈ ગણાત્રા અને 'અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ'ના શ્રી નિમિષભાઈ ગણાત્રાઓની શુભેચ્છાઓના સમન્વયની હૂંફ મેળવી રહેલા જય વસાવડા દર્શાય છે.

(12:02 pm IST)