Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મધ્યપ્રદેશમાં બે દિવસમાં ભાજપના બે નેતાઓની હત્યા :ભોપાલમાં ભાજપ કાર્યકરોએ કમલનાથનું પૂતળાદહન કર્યું

ભાજપ કાર્યકરો દ્વારા ભારે સુત્રોચાર :કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોવાનો આરોપ

ભોપાલ :મધ્યપ્રદેશમાં ભાજપના નેતાઓની હત્યા બાદ ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ભોપાલમાં ભાજપ કાર્યકરોએ નેતાઓ હત્યાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યુ હતું.અને સીએમ કમલનાથના પુતળાનું પણ દહન કર્યુ હતું. ભાજપ કાર્યકરોએ કમલનાથ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા મધ્ય પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

  અત્રે ઉલ્લેખનિય છે કે બે દિવસમાં બે ભાજપ કાર્યકરોની હત્યા કરી દેવામાં આવી હતી. ગુરુવારે મંદસૌરમાં ભાજપ નેતા પ્રહલાદ બંધવારને અજાણ્યા વાહનચાલકોએ માથામાં ગોળી મારી હતી. અને સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. તો ગઈકાલે બરવાની જિલ્લાના બલવાડીમાં ભાજપ નેતા મનોજ ઠાકરેનો મૃતદેહ મળ્યો હતો.તેમની પથ્થરથી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

 આમ બે દિવસમાં ભાજપના બે નેતાની હત્યાને લઈને ભાજપ કાર્યકરોએ સુત્રોચ્ચાર, પુતળા દહન સાથે રોષ વ્યકત કર્યો. ભાજપના નેતાઓના હત્યા કેસમાં શિવરાજસિંહ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.

(12:36 pm IST)