Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પૂર્વ કેન્દ્રીય મંત્રીની ધમકી

રાહુલ વિશે કરીશ એવા ખુલાસા કે મોઢું દેખાડવા લાયક રહેશે નહિ

પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં શ્રીકાંત જેના અને કોરાપુટના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણચંદ્ર સાગરિયાને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી હાંકી કાઢવામાં આવ્યા છે

ભુવનેશ્વર તા. ૨૧ : કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યાના એક દિવસ પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીકાંત જેનાએ રવિવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એવો પર્દોફાશ કરીશ કે તેઓ ફરી 'જનતાને તેમનો ચહેરો દેખાડી શકશે નહીં.' પાર્ટી વિરોધી ગતિવિધીઓના આરોપમાં શ્રીકાંત જેના અને કોરાપુટના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણચંદ્ર સાગરિયાને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ભલામણ પર પાર્ટીના ઓડિશા એકમથી કાઢી મુકવામાં આવ્યા છે.

 

જેનાએ એક પ્રસ કોન્ફરેન્સમાં કહ્યું હતું કે, હું સમજુ છુ કે રાહુલ ગાંધી ૨૫ જાન્યુઆરીએ ઓડિશાના પ્રવાસ પર આવશે. હું તે દિવસે તેમનો પર્દોફાશ કરીશ જેથી તેઓ જનતાને તેમનો ચહેરો દેખાડી શકશે નહીં. જો કે, તેમણે કોંગ્રેસના પ્રમુખ સામે તેમના સૂચિત 'મહાખુલાસા'ની વિગતો આપી નથી.

કોંગ્રેસથી કાઢી મુકવા પર નારાજ જેનાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ ખનન માફિયાનો સાથ આપશે. કયારેક ઉત્કલમણિ ગોપબંધુ દાસનો સાથ આપનાર ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વએ ખનન માફિયા સાથે ભાગીદારી કરી છે. જોકે આ તરફ મેં ઘણી વખત રાહુલ ગાંધીનું ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમણે ખનન માફિયાનો સાથ આપ્યો હતો.

સ્વતંત્રતા સેનાની ગોપબંધુ દાસને 'ઓડીશાના ગાંધી' કહેવામાં આવે છે. જેમણે સામાજિક કોર્યો, સુધારક, રાજકીય કાર્યકર્તા, પત્રકાર, કવિ થવા માટે 'ઉત્કલમણી'નું શીર્ષક પ્રાપ્ત કર્યું છે. જેનાએ આરોપ લગાવ્યો છે કે, ગાંધીએ નિર્ણય કર્યો હતો કે ઓડિશા સરકારની કમાન પટનાયક પરિવરના હાથમાં રહેવી જોઇએ. જેના માટે તેમણે બીજૂ જનતા દળ (બીજેડી)ના અધ્યક્ષ નવીન પટનાયકની સાથે 'મહાગઠબંધન'ની જાહેરાત કરી હતી.

જેનાએ કટાક્ષ કરતા કહ્યું કે તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહ્યાં નથી અને કોંગ્રેસમાં તેઓ યોગ્ય બેસતા નથી કેમ કે, ખનિજોને લુંટીને તેમણે 'પૈસા ભેગા' કર્યા નથી. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયક પર પણ આરોપ લગાવ્યો, જેના જવાબમાં પટનાયકે કહ્યું કે ગેરશિસ્તમાં સામેલ લોકો માટે કોંગ્રેસમાં કોઇ જગ્યા નથી.(૨૧.૮)

 

(10:15 am IST)