Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મહાગઠબંધન રેલી બાદ મમતા બેનર્જીએ બધાને ભોજન કરાવ્યું: પોતે ભોજન પીરસ્યું: થઈ વાહ-વાહ

કોલકતામાં શનિવારે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષી મહાગઠબંધનના નેતાઓની સભા બાદ અલીપુરમાં બધાને ભોજન કરાવ્યું હતુ. તેમણે નેતાઓને ખુદ ભોજન પીરસ્યું હતું. તેમણે ભોજન પીરસતા સોશ્યલ મીડીયામાં તેમની ભારે વાહ-વાહ થઈ હતી. ફેસબુક પર કોઈએ લખ્યુ છે કે, અહંકારના આ દોરમાં એક મુખ્યમંત્રી ભોજન પીરસે તો તે સુખદ લાગે છે. આ ભોજન સમારોહમાં વિપક્ષના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. તસ્વીરમાં તેઓ હાર્દિક પટેલને ભોજન પીરસી રહેલા દેખાય છે.(૨-૩)

 

(10:09 am IST)