Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ શત્રુઘણસિંહાને કહ્યું '' ખામોશ '' રહો તો સારું છે ;તમે દેશહિત માટે શું કર્યું !

કોલકત્તામાં મમતા બેનર્જીની રેલીમાં ભાજપના બાગી નેતા શત્રૃઘ્નસિન્હા પણ પહોંચ્યા હતા અને તેમણે આ રેલીમાં કેન્દ્રની મોદી સરકાર પર નિશાન શાધ્યુ હતું. વડાપ્રધાન મોદી વિરુદ્ધ ભાષણ આપવા પર હવે   કેન્દ્રીય મંત્રી બાબૂલ સુપ્રીયોએ તેમના પર નિશાન સાધ્યુ છે.

      તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, શત્રૃઘ્ન સિન્હા કહી રહ્યાં છે કે, હું જે કંઇ પણ કહું છું, જે કંઇ પણ કરું છું, ભારતની જનતાના હિત માટે છે, દેશ માટે છે, તેમણે વધુમાં લખ્યુ કે, કોઇ તેમને પુછે કે, તેમણે દેશ માટે કહ્યું તો ઘણું છે પરંતુ દેશહિતમાં અત્યાર સુધી શું કર્યું છે. તેથી ખામોશ રહો તો જ સારુ છે. સુપ્રીયોએ આ ટ્વીટમાં શત્રૃઘ્ન સિન્હા, અમિતભાઈ  શાહ, નરેન્દ્રભાઈ  મોદી સહિતના નેતાઓને ટેગ પણ કર્યા છે.

   અત્રે ઉલ્લેખનિયા છે કે, કોલકત્તામાં વિપક્ષી નેતાઓએ મમતા બેનર્જીના નેતૃત્વમાં ભાજપ વિરોધી રેલીનું આયોજન કર્યું હતું જેમાં ભાજપના સાંસદ શત્રૃઘ્ન સિન્હા પણ સામેલ થયાં હતા અને પોતાના ભાષણમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

(12:00 am IST)