Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

માત્ર ઈસુ ખ્રિસ્ત જ માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે : ભગવદ ગીતા અને કુરાનથી માનસિક શાંતિ મળશે નહીં : 2 ખ્રિસ્તીઓએ પોતાના ઘેર આવી આપેલા ઉપદેશ વિરુદ્ધ મહિલાની કર્ણાટક હાઇકોર્ટમાં ફરિયાદ : આરોપીઓએ ફરિયાદ રદ કરવા કરેલી માંગણી નામદાર કોર્ટે ફગાવી : કોઈપણ ધર્મને બીજા ધર્મને ઉતારી પાડવાનો અધિકાર નથી


કર્ણાટક :  2 ખ્રિસ્તી પ્રચારકોએ  પોતાના ઘેર આવી આપેલા ઉપદેશ વિરુદ્ધ એક મહિલાએ કર્ણાટક હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ આ પ્રચારકોએ કહ્યું હતું કે માત્ર ઈસુ ખ્રિસ્ત જ માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે .  ભગવદ ગીતા અને કુરાનથી માનસિક શાંતિ મળશે નહીં.
મહિલાની ફરિયાદ રદ ગણવા આરોપીઓએ પિટિશન દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ફરિયાદ મોડી દાખલ કરાઈ હોવાથી તે રદ થવા પાત્ર છે.

પરંતુ નામદાર કોર્ટે તેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંક્યા હતા. અને જણાવ્યું હતું કે ફરિયાદ રદ થવા પાત્ર નથી .નામદાર જસ્ટિસે જણાવ્યું હતું કે કોઈપણ ધર્મને બીજા ધર્મને ઉતારી પાડવાનો અધિકાર નથી .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છ.

 

(12:58 pm IST)