Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

૨૪ કલાકમાં કોરોના ૪૧૮ લોકોને ભરખી ગયો

દેશમાં કોરોનાના કુલ કેસ ૫૬૬૮૪૦: ૨૪ કલાકમાં ૧૮૫૨૨ નોંધાયા : દેશનો કુલ મૃત્યુઆંક ૧૬૮૯૩નો થયો

નવી દિલ્હી, તા. ૩૦ :. ભારતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં તે ૪૧૮ લોકોને ભરખી ગયો છે. એ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક ૧૬૮૯૩નો થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૫૨૨ નવા કેસ સામે આવ્યા છે એ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને થઈ છે ૫૬૬૮૪૦.

ભારતમાં કોરોના વાયરસના કેસ એકધારા વધી રહ્યા છે. ૨.૧૫ લાખથી એકટીવ કેસ છે અને અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ લોકો સાજા થયા છે.

(11:32 am IST)