Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પેટ્રોલિયમની કીંમતો પર હુંસાતુંસીઃ પેટ્રોલિયમ મંત્રી બોલ્યા, મોદી સરકાર પૈસા ગરીબોના ખાતામાં આપે છે જમાઇના ખાતામાં નહીં

નવી દિલ્લીઃ છેલ્લા થોડા દિવસોથી સતત ચીનના મુદા પર કોંગ્રેસ-ભાજપામાં ચાલી રહેલી હુંસાતુંસી પેટ્રોલ-ડીઝલની કીંમતો પર આવી ગઇ સોનિયા રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસએ દેશવ્યાપી વિરોધ  પ્રદર્શન કરતાં કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યો.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ છેલ્લા ર૩ દિવસમાં રર વખત પેટ્રોલ ડીઝલમાં બેહદ વધારો કર્યો છે જે પરત લેવાની માંગ કરી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ કહ્યું આ પૈસા ગરીબોના ખાતામાં જાય છે. કોંગ્રેસ કાળની જેમ જમાઇના ખીસ્સામાં નહીં.

(10:20 pm IST)