Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનો પણ હવાલો સોંપાયો

૩૦ જૂન સુધી MPમાં કેબિનેટનો વિસ્તાર થઇ શકે છે

ભોપાલ,તા.૨૯: મધ્ય પ્રદેશના રાજયપાલ લાલજી ટંડનની તબિયત ખરાબ છે. તેમની સારવાર લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી છે. આવામાં ઉત્ત્।ર પ્રદેશનાં રાજયપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. લાલજી ટંડનની પહેલા આનંદીબેન પટેલ જ મધ્યપ્રદેસના રાજયપાલ રહ્યાં છે. લાલજી ટંડનની નિયુકત બાદ તેમને ઉત્ત્।ર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા.

આ અંગે રાષ્ટ્રપતિ ભવન તરફથી રજૂ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લાલજી ટંડન રજા પર છે તે દરમિયાન યૂપીનાં રાજયપાલ આનંદીબેન પટેલ એમપીનાં રાજયપાલના કાર્યોનું નિર્વહન કરશે. ઉલ્લેખનીય છે કે, આનંદીબેન ગુજરાતનાં મુખ્યમંત્રી પણ રહી ચૂકયાં છે. ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશના રાજયપાલ બન્યાં હતાં.

અસલમાં આનંદીબેન પટેલને પ્ભ્દ્ગટ એડિશનલ ચાર્જ મળ્યા બાદ પ્રદેશમાં કેબિનેટ વિસ્તાર અંગે પણ હલચલ પણ ઝડપી બની ગઈ છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે, ૩૦ જૂન સુધી MPમાં કેબિનેટનો વિસ્તાર થઈ શકે છે. નામોની અંતિમ યાદી અંગે શિવરાજ સિંહ ચૌહાણ દિલ્હી ગયેલા છે. દિલ્હીથી નામો પર મ્હોર લાગતા જ MPમાં કેબિનેટ વિસ્તારની તૈયાર ઝડપી બની જશે. હવે નક્કી થઈ ગયું છે કે, આ સપ્તાહે કેબિનેટનો વિસ્તાર થશે તો આનંદીબેન જ મંત્રીઓને શપથ અપાવશે.

(11:24 am IST)