Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

૨૪ કલાકમાં કોરોનાના ૧૯૪૫૯ નવા કેસઃ ૩૮૦ના મોતઃ કુલ કેસ ૫૪૮૩૧૮: કુલ મૃત્યુઆંક થયો ૧૬૪૭૫

એક દિવસમાં ૧૭૦૫૬૦ લોકોની તપાસ થઈઃ આઈસીએમઆર

નવી દિલ્હી, તા. ૨૯ :. ભારતમાં કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૪૫૯ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૩૮૦ લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા આજે સવારે વધીને ૫૪૮૩૧૮ની થઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૩૨૧૭૨૩ લોકો બિમારીથી સાજા થયા છે. આ સિવાય ૨૧૦૧૨૦ લોકો કોરોનાથી સંક્રમિત છે. દેશમાં મૃત્યુઆંક વધીને ૧૬૪૭૫નો થયો છે.

છેલ્લા ૧ દિવસમાં ૧૭૦૫૬૦ લોકોની કોરોના તપાસ કરવામાં આવી છે. અગાઉ કરતા હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

(10:36 am IST)