Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

નટ સમાજમાં હવે શબની દફનવિધિ નહી પણ અગ્નિ સંસ્કાર કરાશે

ઉતરપ્રદેશના સલાવા ગામમાં મળેલી પંચાયતની મીટીંગમાં નિર્ણય લેવાયો

મુરાદાબાદ, તા., ૨૨: ઉતરપ્રદેશના મુરાદાબાદ જીલ્લાના સલાવા ગામમાં નટ સમાજની મળેલી પંચાયતની બેઠકમાં નટ સમાજમાં હવેથી શબની દફનવિધિ નહિ પણ અગ્નિ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. નટ સમાજની આ મહત્વપુર્ણ બેઠકમાં મહિલાઓ અને પુરૂષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ ગ્રામ પ્રધાનપતિ  મહેન્દ્રસિંહ રંધાવા અને નટ સમાજના મુખીયા જયપાલ ઉપસ્થિત રહયા હતા અને નટ સમાજની સામાજીક સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. નટ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવાની ચર્ચા કરાઇ હતી. નટ સમાજના મોટા ભાગના લોકો ઘુમતુ જીવન જીવે છે અને આ સમાજે હવે શબને દફનાવાની  પરંપરા છોડી શબને અગ્નિ સંસ્કાર કરવાની પરંપરાનો સ્વીકાર કર્યો હતો. નટ સમાજને સરકારે અનુસુચીત જાતીની શ્રેણીમાં રાખેલ છે. નટ સમાજને મુખ્ય ધારામાં જોડવાના આ નિર્ણયને આવકાર મળી રહયો છે.

(3:44 pm IST)