Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસના પગલે તમિલનાડૂમાં પ્રથમ મોત: દેશમાં મૃત્યુઆંક 11 થયો

આ શખ્સને બ્લડ પ્રેસર અને ડાયાબિટીશ હોવાનું પણ ખુલ્યું

નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે તમિલનાડૂમાં પ્રથમ મોતની ઘટના સામે આવી છે. આ દર્દી તમિલનાડૂના મદુરાઈમાં રાજાજી હોસ્પિટલમાં ભરતી થયો હતો.

 મરનારા આ વ્યક્તિમાં અનેક રોગ હોવાનું સામે આવ્યું છે. આ શખ્સને બ્લડ પ્રેસર અને ડાયાબિટીશ હોવાનું પણ ખુલ્યું છે.

  સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. સી વિજયબાસ્કરે આ અંગે જણાવ્યું હતું કે, આ દર્દીની સારવાર તમિલનાડૂના મદુરાઈની રાજાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે અનેક બિમારીઓથી ગ્રસિત હતો. મંગળવાર રાતે તેનુ મોત થઈ ગયું છે.

   દેશમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 11 થઈ છે  આ વાયરસથી સૌથી વધારે મોતના આંકડા મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જોવા મળ્યા હતા. આ બંને રાજ્યોમાં બે-બે મોત થયા છે.

(8:52 am IST)