Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બીજાપુરની સારકેગુડા અથડામણ બનાવટીઃ ૧૭ લોકોના મોત થયેલ

નિવૃત જસ્ટીસની અધ્યક્ષતા વાળા પંચના રિપોર્ટમાં ખુલાસો

જગદુલપુરઃ છત્તીસગઢના બીજાપુરના સારકેગુડામાં ૨૮ જુન ૨૦૧૨ના રોજ થયેલ અથડામણ બનાવટી હોવાનું મામલાની તપાસ કરી રહેલ આયોગની ટીમના રીપોર્ટમાં જણાવાયું છે. ઉપરાંત ઘટના દરમિયાન કોઇ ગ્રામીણ તરફથી એકપણ ગોળી ન ચલાવાય હોવાનું જણાવ્યું છે. રાજય સરકારને સોંપાયેલ રીપોર્ટ મુજબ ગ્રામીણોની બેઠકમાં  સુરક્ષાદળોએ એક તરફી હુમલો કરેલ. જવાનોએ ગ્રામજનો સાથે મારપીટ કરેલ. અને બીજા દિવસે ગ્રામીણના ઘરમાં ધુસી મારી નાખેલ. પોલીસ તપાસમાં પણ ગડબડીનું રીપોર્ટમાં જણાાવેલ. તપાસમાં મૃતક કે ઘાયલ માઓવાદી હોવાના કે માઓવાદી બેઠક હોવાની વાત પ્રમાણીત થતી નથી. સમગ્ર મામલાની તપાસ રીટા. જસ્ટીસ વીકે અગ્રવાલની અધ્યક્ષતા વાળા પંચ દ્વારા કરાઇ હતી.

(3:24 pm IST)