Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અડવાણીજીનું સમગ્ર જીવન રાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત છેઃ અમિતભાઈ

ગૃહમંત્રીએ પૂવ નાયબ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે લાલકૃષ્ણ અડવાણીજીના ૯૨ મા જન્મદિવસે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવેલ. શ્રીશાહે ટ્વીટ કરેલ કે અડવાણીજીનું સમગ્ર જીવન રાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત છે. પોતાની અદ્વીતીય નેતૃત્વ ક્ષમતાથી તેમણે ભાજપનો મજબુત પાયો નાખવાની સાથે લાખો કાર્યકર્તાઓને પણ પ્રેરિત કર્યા. સરકારમાં રહેતા અડવાણીજીએ રાષ્ટ્રહિત સર્વોપરી માની ભારતને નવી ગતિ દેવાનું કામ કર્યુ.

વધુમાં અમિતભાઈએ જણાવેલ કે પોતાના અથાગ પરિશ્રમ અને સંગઠન કુશળતાથી ભાજપને એક રાષ્ટ્રીય પાર્ટીનું સ્વરૂપ દેવાવાળા આમારા બધાના આદરણીય અને ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાનશ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના. ઈશ્વર તેમને સ્વસ્થ જીવન અને દીર્ધાયુ પ્રદાન કરે તેવી કામના કરૂ છું.

(3:28 pm IST)