Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મમતા બેનર્જીએ ગણાવી નોટબંધીને આફત: કહ્યું હતું કે એ અર્થતંત્ર અને લાખો લોકોનું જીવન બરબાદ કરશે

રિઝર્વ બેંકના ડેટાએ પણ બતાવ્યું હતું કે તે એક નિરર્થક કવાયત

 

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ નોટબંધી અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે આજે 'ડિમોનેટાઇઝેશન ડિઝાસ્ટર' ની ત્રીજી વર્ષગાંઠ છે. તેની ઘોષણાની મિનિટોમાં જ મેં કહ્યું હતું કે તે અર્થતંત્ર અને લાખો લોકોનું જીવન બરબાદ કરશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ, સામાન્ય લોકો અને બધા નિષ્ણાતો હવે આ સાથે સહમત છે. રિઝર્વ બેંકના ડેટાએ પણ બતાવ્યું હતું કે તે એક નિરર્થક કવાયત છે.

(12:13 pm IST)