Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

શ્રમિકની અરજ... અમને ગુલામીમાંથી મુકિત અપાવો

તામિલનાડુના વેલોર અને કાંચીપુરમ્માં મહેસુલી અધિકારીઓએ ૧૩ પરિવારના બાળકો સહિત કુલ ૪ર શ્રમિકોને ગુલામીના બંધનમાંથી મુકત કરાવ્યા હતાં. આ બધા જંગલમાં લાકડા કાપવાના કામમાં મજુરી કરતા હતાં. બધાને બંધક બનાવી કામ લેવાતું હતું. બાળકોને શાળાએ પણ જવા દેવાતા નહોતા-બાતમી બાદ તંત્રએ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તમામને મુકત કરાવ્યા હતાં. તસ્વીરમાં કાશી નામનો મજુર કે જે ૬૦ વર્ષનો છે તે તંત્રવાહકોને પગે પડી બંધનમાંથી મુકત કરાવવાની અરજ કરતો દેખાય છે. કાશી અને ૮ પરિવારોના ૧૦ બાળકો સહિત ર૭ લોકોને છોડાવાયા છે. ૯૦૦૦ થી રપ૦૦૦ની લોન લીધા બાદ આ બધાને મજુરી કરાવાતી હતી.

(10:24 am IST)