Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

તબીબો ઉપર છાશવારે થતા હુમલાઓના પ્રત્યાઘાત : કેન્દ્ર સરકારે કાયદો ઘડવા કમિટીની રચના કરી

ન્યુદિલ્હી : કોલકત્તાની NRS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના 2 જુનિયર તબીબો ઉપર દર્દીના પરિવારજનોએ કરેલ હુમલો તથા આચરેલી હિંસા વિરુધ્ધ સમગ્ર દેશના તબીબ સમૂહમાં ફાટી નીકળેલા રોષ તથા રજૂઆતો બાદ કેન્દ્ર સરકારે આ અંગે કાયદો ઘડવા કમિટીની રચના કરી છે.

કમિટીમાં કેન્દ્ર સરકાર તથા લીગલ ડિપાર્ટમેન્ટ , મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ,એઇમ્સ અને આર એમ.એલ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ્સ સહિતના પ્રતિનિધઓનો સમાવેશ કરાયો છે. કમિટીની રચનાને ઇન્ડિયન મેડિકલ એશોશિએશનએ આવકારેલ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)