Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મુંબઈના સીએસટી ફ્રુટઓવર બ્રિજ તૂટ્યો :ઇજાગ્રસ્તોની સરકાર કરાવશે સારવાર : પુલ 30 વર્ષથી વધારે જૂનો

 

મુંબઈ :મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન નજીક ફ્રુટઓવર બ્રિજ તૂટી પડતા 5 લોકોના મોત નિપજ્યા છે જયારે 36થી વધુ લોકો ઘાયલ થયા છે મહારાષ્ટ્ર સરકારના મંત્રી વિનોદ તાવડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ઈજાગ્રસ્તોની સારવાર સરકાર કરાવશે.

  મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પુલના સમારકામની જરુર હતી. ઘટનાની બીએમસી અને રેલવે તપાસ કરશે. કાટમાળમાં ફસાયેલા બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

   જાણકારી પ્રમાણે પુલ 30 વર્ષ કરતા પણ વધારે જૂનો છે. ઘટના પછી આખો બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે

(11:36 pm IST)