Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ભારતીય નાગરિક સરબજીત સિંઘની હત્યાના આરોપીઓને પાકિસ્તાન કોર્ટએ નિર્દોષ છોડ્યા

ઇસ્લામાબાદ : 2013 ની સાલમાં ભારતીય નાગરિક સરબજીત સિંઘની જેલમાં હત્યા કરી નાખવા સબબ બે કેદીઓને પાકિસ્તાન કોર્ટએ નિર્દોષ ગણ્યા છે.ચુકાદામાં જણાવાયા મુજબ પુરાવાના અભાવે તેઓને  દોષમુક્ત ગણવામાં આવ્યા છે.આ કેસમાં કોઈ પણ  સાક્ષી કોર્ટમાં હાજર રહ્યા નહોતા પરિણામે ઘટનાના 5 વર્ષ બાદ  જેલમાં હત્યા કરી નાખવાના બંને આરોપીઓ પુરાવાના અભાવે છૂટી ગયા હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(12:00 pm IST)