Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ફ્રોડ અને વિલફુલ ડિફોલ્ટ્સની સ્થિતિમાં કડક વલણ અપનાવવા નાણામંત્રી જેટલીનું સૂચન

 

નવી દિલ્હી :નાણાંપ્રધાન અરુણ જેટલીએ બેંકોને જણાવ્યું છે કે ફ્રોડ અને વિલફુલ ડિફોલ્ટ્સની સ્થિતિમાં કડક વલણ અપનાવવામાં આવે. ઈકોનોમીની જરુરિયાતોને પૂરી કરવા માટે બેંકિંગ સીસ્ટમ પર ભરોસો પુનઃસ્થાપિત થવો જરુરી છે

   નાણામંત્રી અરુણ  જેટલી દિલ્હીમાં સરકારી બેંકોના પ્રમુખો સાથે મીટિંગ કરી રહ્યાં હતાં તે સમયે તેમણે વાત કરી છે. તેમણે બેઠકમાં બેંકોના વાર્ષિક પ્રદર્શનની સમીક્ષા પણ કરી હતી.

(9:07 am IST)