Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

CNG પર ૨૮ ટકા અને PNG પર ૧૨ ટકા GST લાગશે

જીએસટી કાઉન્સિલને મોકલવામા આવશે! મંજુરીબાદ કરાશે લાગુ

નવીદિલ્હી, તા.૧૧: જીએસટીના દાયરામાં આવ્યા બાદ સીએનજી તે ૨૮ અને પીએનજીને ૬ અને ૧૨ ટકાના ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવશે ધરેલુ કાર્યા માટે ઉપયોગ થનારા પીએનજી ને પ, જયારે કોમર્શિયલ કાર્યામાં આવતા પીએનજીને ૧૨ ટકા વાળા ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવશે સુત્રોના જણાવ્યા મુજબ સિવિલ ઓયએરાનું મિનિસ્ટ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી વચ્ચે થયેલી બેઠકમાં સીએનજી અને પીએનજી પર જીએસટીના ટેક્ષ રેટ નકકી કરવામાં આવ્યા. હવે આ પ્રસ્તાવને જીએસટી કાઉનસેલને મોકલવામાં આવશે અને ત્યાંથી મંજુરી મળ્યા બાદ તેને લાગુ કરી દેવામાં આવશે.

સરકારે નેચરલગેસ અને એટીએફને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. નાણામંત્રાલયના સુત્રોનું કહ્યું છે કે સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામા લાવ્યા પહેલા નેચરલગેસ અને એટીએફને જીએસટીના દાયરામા લાગશે કેન્દ્રસરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાવશે. કેન્દ્રસરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાગવા માટે કાયદાકીય સલાહ લઇ રહી છે.

નાણામંત્રાલયના ઉચ્ચાઅધિકારીઓએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે પેટ્રોલિયમ પ્રોડકરને આ પ્રકારના દાયરામાં લાવવામાં આવશે. જેનાથી કેન્દ્રની સાથે રાજય સરકારોની આવક પ્રભાવિત થાય નહી અને સામાન્ય માણસને લાભ મળે.(૨૨.૬)

(11:46 am IST)