Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મણિપુરના તામેગલાંગમાં ભેખડ ધસી પડતા 9 ના મોત

મણિપુરના તામેગલાંગ જિલ્લામાં ભેખડ ધસી પડતા 9 લોકોનો મોત નીપજ્યાના સમાચાર છે. ઘટના સ્થળે બચાવકાર્ય ચાલુ છે. સ્થાનિક લોકોમાં આ દુર્ઘટનાના કારણે ભયનો માહોલ છે. વળી, પ્રશાસને લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની ચેતવણી આપી છે. તામેગલાંગ પહાડો અને ઘાટીઓથી ઘેરાયેલો એક પહાડી જિલ્લો છે અને આ વિસ્તારમાં ભેખડ ધસી પડવાનું જોખમ હંમેશા રહે છે.

 

(11:41 am IST)