Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કોંગ્રેસનું ગઠબંધન અનૈતિક, ભાજપની સરકાર રચાશે :જાવડેકર

બેંગલોર : કર્ણાટકમાં સરકાર રચવા ગતિવિધિ તે જ બની છે. દરમિયાન ભાજપના ટોચના નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, કોંગ્રેસ-જેડીએસનું જોડાણ અનૈતિક છે. ભાજપ સરકાર બનાવશે અને મજબૂત સરકાર આપશે.

જાવડેકરે કહ્યું હતું કે, રાજયની પપ ટકા જનતાએ કોંગ્રેસને જાકારો આપયો છે. પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ દેવેગૌડાજી પર અનૈતિક ટિપ્પણી કરી હતી. જાકારો પામેલી કોંગ્રેસ પાછળના દરવાજેથી સત્તામાં આવવા માંગે છે તેમ  જાવડેકરે જણાવ્યું હતું.

(12:34 pm IST)