Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

શ્રી કૃષ્ણની નિકટ જવા ઇચ્છુક હોલીવુડ અભિનેત્રી મેરીને વ્રજધામનું ઘેલું : મથુરા-વૃંદાવનની તસવીરો કરી પોસ્ટ

મેરીએ ગાય અને બાળકો સાથે જોવાઈ : સંદીપન મુનિના આશ્રમની લીધી મુલાકાત : એક બાળકને લીધું દત્તક

ભગવાન શ્રીકૃષણની નગરીનું હરકોઈને ઘેલું લાગે છે મથુરા-વૃંદાવનમાં ઘણા વિદેશી ચહેરા જોવા મળે છે  હાલમાં હોલિવૂડ એક્ટ્રેસ મેરી એવજેરોપૂલોસને વ્રજધામનું ઘેલું લાગ્યું છે . મેરી હાલમાં રજાઓ લઈને વ્રજધામની ગલીઓમાં ફરી રહી છે. અહીંયા તે માત્ર ટૂરિસ્ટ બનીને મથુરા-વૃંદાવન ફરવા માટે નથી આવી. તે એક ખાસ હેતુ સાથે ભારતમાં આવી છે. એક તો તે ભગવાન કૃષ્ણની નિકટ જવા ઈચ્છે છે અને બીજું તેને સોશિયલ વર્ક કરવા માટે સૌથી સારી જગ્યા લાગે છે.
   મેરીના ઈન્ટસ્ટાગ્રામ પર આ યાત્રાની ઘણી તસવીરો જોઈ શકાય છે. તેણે ગાય સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે, તો જરૂરિયાતમંદ બાળકો સાથે પણ નજર આવી રહી છે. અહીંયા તે મથુરાના સંદીપન મુનિના આશ્રમ પણ ગઈ હતી. અહીંયા બાળકો સાથે તેણે ઘણો સમય પસાર કર્યો.
   આટલું જ નહીં મેરીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે મથુરાની એક મહિલા સાથે વાતો કરતી જોવા મળે છે. આ મહિલા આગળ કેમ ન ભણી શકી અને કેમ જલ્દી તેના લગ્ન કરી દેવાયા, આ વિશે ટ્રાન્સલેશન દ્વારા મેરીને મહિલા સાથે વાતચીત કરતા જોવી ખાસ વાત છે.
    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેરીએ અહીંયા ફૂડ ફોર લાઈફ ઓર્ગેનાઈઝેશનની સ્કૂલના એક બાળકને દત્તક લીધું છે. તે બાળકના અભ્યાસ માટેનો સમગ્ર ખર્ચ ઉઠાવશે.
કરિયરની વાત કરીએ તો મેરીએ વર્ષ 2019માં I Love You Beth Cooper નામની ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. એક રિપોર્ટ મુજબ મેરી બાળપણથી જ ભગવાન કૃષ્ણ વિશે જાણવા ઈચ્છતી હતી. આ કારણે જ તે મથુરા આવી છે.

(9:11 am IST)