-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Saturday, 20th November 2021
કરતારપુર માથુ ટેકવવા પહોંચ્યા પંજાબ કોંગ્રેસ પ્રમુખ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન મારા મોટાભાઈ જેવાઃ નવજોત સિદ્ધુ

નવી દિલ્હી, તા. ૨૦ :. કરતારપુર કોરિડોર ખૂલ્યા બાદ કરતારપુર સાહેબ ગુરૂદ્વારા ખાતે દર્શન કરવા માટે પહોંચેલા પંજાબના કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.
સિદ્ધુએ આ કોરિડોરનું મેનેજમેન્ટ કરતી સંસ્થાના મુખ્ય અધિકારી મોહમ્મદ લતીફ સાથે પણ વાત કરી હતી અને કહ્યુ હતુ કે પાક પીએમ ઈમરાનખાન મારા મોટાભાઈ જેવા છે અને તેમના તરફથી મને બહુ પ્રેમ મળ્યો છે.
સિદ્ધુ આમ તો ૧૮ નવેમ્બરે કરતારપુર જવાના હતા પણ ગૃહ મંત્રાલયે સુરક્ષાના કારણસર તેમનો આ પ્રવાસ પાછો ઠેલ્યો હતો. ગઈકાલે પંજાબ સીએમ ચન્ની પોતાના ડેલિગેશન સાથે અહીંયા દર્શન કરવા આવ્યા હતા પણ તેમા સિદ્ધુનું નામ નહોતું.
સિદ્ધુને ગઈકાલે કહેવામાં આવ્યુ હતુ કે, ૨૦ નવેમ્બર જનારા ભાવિકોમાં તમારૂ નામ સામેલ છે એ પછી આજે સિદ્ધુ કરતારપુર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
(4:04 pm IST)